1 PAN થી 1000 ખાતા... KYC વિના કરોડોના ટ્રાન્ઝેક્શન, આ કારણે Paytm આવ્યું RBIના રડાર પર


  • Published By :
  • Published Date : 2024-02-04 11:00:10

RBI દ્વારા 31 જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફાસ્ટેગ રિચાર્જ, વોલેટ અને તેના બેંક ખાતામાં પૈસા જમા કરાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આરબીઆઈએ કહ્યું કે પેટીએમ બેંકિંગ સેવા 29 ફેબ્રુઆરી પછી કામ કરશે નહીં. નિયમોના ઉલ્લંઘનને કારણે RBIએ આ બેંક પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ શું તમે જાણો છો કે Paytm પેમેન્ટ્સ બેંક RBIના રડાર પર કેવી રીતે આવી?


KYC પ્રક્રિયા અપૂર્ણ


Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધનું એક મુખ્ય કારણ યોગ્ય KYC વિના બનાવવામાં આવેલા કરોડો ખાતા હતા. આ ખાતાઓ હેઠળ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી. એટલું જ નહીં, તેણે ઓળખ વિના કરોડો રૂપિયાના વ્યવહારો પણ કર્યા હતા, જેના કારણે મની લોન્ડરિંગની આશંકા ઉભી થઈ હતી.


1 PAN કાર્ડથી 1000 બેંક એકાઉન્ટ્સ 


રોઇટર્સના રિપોર્ટસ મુજબ, RBI દ્વારા પ્રતિબંધ લાદવાનું સૌથી મોટું કારણ એ હતું કે Paytm પેમેન્ટ્સ બેંક હેઠળ 1,000 થી વધુ યુઝર્સના એકાઉન્ટ્સ માત્ર 1 PAN પર લિંક કરવામાં આવ્યા હતા. વધુમાં, RBI અને ઓડિટર બંનેને દ્વારા તપાસમાં જાણવા મળ્યું છે કે Paytm બેંક નિયમોનું પાલન કરી રહી નથી.


પેટીએમ પેમેન્ટ્સ બેંકની તપાસ થશે 

રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ શનિવારે કહ્યું હતું કે જો ફંડની ગેરરીતિના કોઈ પુરાવા મળશે તો ED પેટીએમ પેમેન્ટ્સ બેંકની તપાસ કરશે. દરમિયાન, Paytm એ સ્પષ્ટ કર્યું કે કંપની અને One97 કોમ્યુનિકેશનના CEO વિજય શેકર શર્મા મની લોન્ડરિંગ માટે EDની તપાસ હેઠળ નથી. કંપનીએ કહ્યું કે કેટલાક વેપારીઓની પૂછપરછનો વિષય છે. બેંક આવી બાબતોમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે.


પેમેન્ટ્સ બેંકમાં 31 કરોડ નિષ્ક્રિય ખાતા 


ઉલ્લેખનિય છે કે Paytm પેમેન્ટ્સ બેંક પાસે લગભગ 35 કરોડ ઈ-વોલેટ્સ છે. તેમાંથી લગભગ 31 કરોડ એક્ટિવ નથી, જ્યારે લગભગ 4 કરોડ જ કોઈ રકમ અથવા ખૂબ ઓછી રકમ સાથે ચાલી રહ્યા છે. આનો અર્થ એ છે કે મોટી સંખ્યામાં નિષ્ક્રિય ખાતા છે જેમાં KYC અપડેટ કરવામાં આવ્યું નથી.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.