ગાંધીનગર પાસે તળાવમાં કાર ડૂબી, ચારના મૃતદેહ મળ્યા


  • Published By :
  • Published Date : 2023-09-20 12:26:08

ચિલોડા હિંમતનગર હાઇવે પર દશેલા ગામ પાસે એક કાર તળાવમાં ડૂબી હતી જેમાં 4 વ્યકતિઓના મૃતદેહ મળ્યા છે.. અમદાવાદના પાંચ મિત્રો અમદાવાદથી રાજસ્થાન તરફ ફરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવતા ગાંધીનગર જિલ્લાના દશેલા ગામની સીમમાં વરસાદી પાણી ભરેલ હતું અને તળાવ ઓવરફ્લો હતો જેની જાણ ન રહેતા આ કાર તળાવમાં તણાઈ ગઈ હતી જેમાંથી કારમાં સવાર 5 લોકોમાંથી 4 વ્યક્તિઓના ડૂબી જવાથી મોત થયા હતા   ગઈકાલે તણાયેલી કારમાં સવાર ચાર મૃતદેહ મળી આવ્યા છે. અંદાજે ગઈકાલે રાતે 9 વાગ્યે તણાયેલી કારમાં 5 વ્યક્તિઓ હાજર હતા. તળાવ સુધી કાર તણાતા પાંચેય કાર સવારો ડૂબ્યા હતા. ત્યારે આજે ફાયર વિભાગની ટીમે 4ના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારે કારસવાર અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે.


કેવી રીતે પરિવારને જાણ થઇ ?


બે દિવસથી પાંચેય વ્યક્તિનો કોઈ સંપર્ક ન થતા પરિવારે પોલીસને જાણ કરી હતી જેમાં પોલીસે લોકેશન કાઢતા લોકેશન ગાંધીનગર જિલ્લાના દશેલા ગામનું મળ્યું હતું ત્યાં તપાસ કરતા પોલીસને તળાવમાંથી કાર મળી આવી હતી અને ફાયર વિભાગની ટીમે 4 મૃતદેહો બહાર કાઢ્યા હતા. એક વ્યક્તિ હાલ પણ શોધખોળ ચાલી રહી છે પ્રાથમિક માહિતી મુજબ ત્યાં તળાવ ઓવરફ્લો થયો હતો કાર ચલાવનારને એવું લાગ્યું હશે કે વરસાદી પાણી ભરેલું હશે પણ કાર જેમ જેમ નજીક ગઈ તેમ ડૂબવા લાગી હતી  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.